Thursday, December 11, 2008

પછી ની વાત છે.

પછી ની વાત છે.

પ્રેમ ની એ પળ પછી ની વાત છે,
ફુલ પર ઝાકળ પછી ની વાત છે.

એકબીજા ને જો મળવાં આપણાં
મન થયાં વિહવળ પછી ની વાત છે.

દ્રાર પર આવી ને તેં દસ્તક દીઘા,
મેં દીધી સાંકળ પછીની વાત છે.

આ ઇરાદો કોઇ પલટી ના શકે,
ઉદભવેલા બળ પછી ની વાત છે.

આજ થી તું કર હવે "આનંદ" બસ,
પીધેલાં મ્રુગજળ પછી ની વાત છે.

- અશોક જાની "આનંદ" -આસોપાલવ

1 comment:

સુરેશ જાની said...

બહુ જ સરસ ગઝલ