Sunday, November 09, 2008

“એક જ્યોતીષી ની કહેલી વાત છે ,


“એક જ્યોતીષી ની કહેલી વાત છે ,

કે પાણી ની મને ઘાત છે,
ને એટલે તો સપના માં દેખાય દરીયા સાત છે,

નદી ઓ ના ઘોડાપુર થી મન મારુ ભયભીત છે,

છલકતા સરોવર મુજ ને શાપીત છે, ………
અને તો પણ …..

ના ડુબીયો સાગર મહિ

ના ડુબીયો સરોવર મહિ

કે ના ડુબીયો સરીતા ના નિર મહિ,
એક તારા આંશુ ના ટીપે હું ડુબી ગયો !

“એક જ્યોતીષી ની કહેલી વાત છે ,

કે પાણી ની મને ઘાત છે,

–ચંદ્રકાન્ત્ રામી

No comments: